મેનુ

ઉકળા ચોખા એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી

Viewed: 8353 times
parboiled rice

ઉકળા ચોખા એટલે શું?

ઉકળા ચોખાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of parboiled rice, ukda chawal in Gujarati)

ઉકળા ચોખા બનાવવા માટે, ચોખાના દાણાને છાલ સાથે પલાળી, બાફવામાં અને સૂકવવામાં આવે છે અને છેલ્લે છાલને કાઢી નાખવામાં આવે છે. બાફવાની પ્રક્રિયાને કારણે પાણીમાં સાલ્યબલ બી વિટામિન્સ જેવા કે થાઇમીન, રિબોફ્લેવિન અને નિયાસિન ઉકળા ચોખામાં ઉમેરાઈ જાય છે, જેનાથી તે સફેદ ચોખા કરતાં વધુ સારા ચોખા બની જાય છે. ઉચ્ચ ગુણવત્તાનું પ્રોટીન મેળવવા માટે તેને દાલ સાથે મિક્સ કરવું એક ઉત્તમ વિકલ્પ હશે. ઇડલી બનાવવાની બાબતમાં અનાજ-દાલનું મિશ્રણ (અડદની દાળ સાથે ઉકળા ચોખા) એક સંપૂર્ણ પ્રોટીન તરીકે કામ કરે છે, જેમાં તમારા શરીર માટે જરૂરી તમામ ૯ આવશ્યક એમિનો એસિડ હશે. અને પછી ફાઇબરનું પ્રમાણ વધારવા માટે, તમારી ઇડલીમાં શાકભાજી ઉમેરો અને તેને નાળિયેરની ચટણી સાથે પીરસો. પરંતુ ઉકળા ચોખામાં કાર્બોહાઈડ્રેટ વધારે છે અને તેથી વજન પર ધ્યાન રાખવા વાળા લોકો માટે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ભલામણ કરવામાં આવતી નથી. સફેદ ચોખા અને ઉકળા ચોખા તમારા માટે કેમ સારા છે વાંચો?


Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ