You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન > જાફરાની પુલાવ
જાફરાની પુલાવ

Tarla Dalal
02 January, 2025


Table of Content
મોઘલાઇ જમણ અજમાવ્યા પછી ખબર પડી જાય છે કે કેસર મોઘલાઇ જમણનું એક મહત્વનું અંગ છે અને તેના ઉપયોગથી ઘણી બધી વાનગીઓ પણ બનાવી શકાય છે. જાફરાની પુલાવ એક સાદી ભાતની વાનગી છે જેને કેસરથી સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે. પનીર, કાજૂ અને કીસમીસનો ઉમેરો આ પુલાવને શાહી બનાવે છે. તે ઉપરાંત આ વાનગી તમને ખુબજ ગમશે કારણકે તે ઝટપટ પણ બને છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 1/4 કપ બાસમતી ચોખા (basmati chawal)
1/4 ટીસ્પૂન કેસર (saffron (kesar) strands)
2 ટીસ્પૂન દૂધ (milk)
1 1/2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 કપ પનીરના ચોરસ ટુકડા (paneer cubes)
1 ટેબલસ્પૂન ઘી (ghee)
1 તમાલપત્ર (bay leaf (tejpatta)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/4 કપ કિસમિસ
સજાવવા માટે
2 ટેબલસ્પૂન તળેલા કાજૂ
વિધિ
- બાસમતી ચોખા સાફ કરીને ૧૫ મિનિટ પલાળી રાખ્યા બાદ ધોઇને નીતારીને બાજુ પર રાખો.
- એક નાના બાઉલમાં ઠંડા દૂધ સાથે કેસરના રેસા મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં પનીરના ટુકડા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી ઠંડા થવા બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર, એલચી અને તજ મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સાંતળી લો.
- તે પછી તેમાં ચોખા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ૨ ૧/૨ કપ ગરમ પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી વાસણને ઢાંકી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ૭. છેલ્લે તેમાં કીસમીસ, પનીર અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી વાસણને ઢાંકી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ૮. કાજૂના ટુકડા વડે સજાવીને ગરમા ગરમ પીરસો.