મેનુ

ચોળા એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી

Viewed: 7343 times
chawli

ચોળા એટલે શું?

ચોળાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of chawli, black eyed beans, lobia, cowpeas in Gujarati)

ચોળા ફોલેટ અથવા વિટામિન બી 9 થી સમૃદ્ધ તમારા શરીરને નવા કોષો, ખાસ કરીને લાલ રક્તકણો પેદા (red blood cells) કરવા અને જાળવવામાં મદદ કરે છે. થાઇમીનથી સમૃદ્ધ હોવાથી, તે હૃદયની મહત્વની ક્રિયામાં પણ મદદ કરે છે. ચોળા બ્લડ પ્રેશર ઘટાડવામાં ફાયદો કરે છે કારણ કે તે પોટેશિયમથી સમૃદ્ધ છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને હ્રદયના સ્વાસ્થ્યને ટકાવી રાખે છે. ચોળામાં ફાઇબરનું પ્રમાણ વધુ છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે. ચોળાના વિગતવાર ફાયદાઓ જુઓ.

ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના રાંધેલા ચોળા, Chawli

ચોળા નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 38 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે

અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. ચોળા જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.


Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ